કોણ માનશે ? - Gujarati Sahitya

Gujarati Sahitya

Gujarat Nu Gaurav Gujarati Sahitya

Wednesday, 18 January 2017

કોણ માનશે ?

દુ:ખમાં જીવનની લાણ હતી, કોણ માનશે ?
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે ?
શૈયા મળે છે શૂળની ફૂલોના પ્યારમાં !
ભોળા હ્રદયને જાણ હતી, કોણ માનશે ?
કારણ ન પૂછ પ્રેમી હ્રદય જન્મ-ટીપનું,
નિર્દોષ ખેંચ-તાણ હતી, કોણ માનશે ?
ઈશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું,
એ ‘શૂન્ય’ની પીછાણ હતી, કોણ માનશે ?
-શૂન્ય ‘પાલનપુરી’

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here